Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વડોદરાની દાંડિયાબજારમાં પરિવારના બંધ ફ્લેટના તાળા તોડી તસ્કરો પાંચ લાખની ઉઠાંતરી કરી છૂમંતર.....

વડોદરા: ખારીવાવ રોડ પર આવેલા સંકલ્પ બિલ્ડીંગમાં રહેતા પરિવારના બંધ ફ્લેટના તાળા તોડીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને  રોકડા મળીને પાંચ લાખ ઉપરાંતની મત્તા ચોરી ગઇ હતી.

દાંડિયાબજાર ખારીવાવરોડ પરના સંકલ્પ બિલ્ડિંગમાં રહેતા ભાવેશ ઉર્ફે સન્ની રવિન્દ્રભાઇ રાજગિરે સુભાનપુરાની ટાટા કન્સલ્ટન્સીની ઓફિસમાં નોકરી કરે છે.મુંબઇમાં તેમની સાસુ સિરિયસ હોય , ગત તા.૨૫ મી એ સવારે સાત વાગ્યે તેઓ પત્ની સાથે મુંબઇ જવા નીકળ્યા હતા.તે દરમિયાન તેમના મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડીને ચોર ટોળકી અંદર ઘુસી હતી.બેડરૃમમાં મુકેલી ત્રણ તિજોરીઓ તોડીને તેમાંથી ચોર સોના ચાંદીના દાગીના અને રોકડા રૃપિયા ૧૨ હજાર મળીને ૫.૦૫ લાખની મત્તા લઇ ગયા હતા.ગઇકાલે સવારે તેમના ઘરની સામે રહેતા પરિવારે ફોન કરીને ચોરીની જાણ કરી હતી.જે અંગે ભાવેશ ઉર્ફે સન્નીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

 

(6:05 pm IST)