Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજ્યમાં કોરોનાની વિદાય વેળાએ નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 12 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.082 :કુલ 8.15.678 લોકોએ કોરોનાને હરાવ્યો: રાજયમાં આજે વધુ 2.32.476 લોકોનું રસીકરણ કરાયું

સુરતમાં 7 કેસ, વલસાડમાં 5 કેસ, અમદાવાદમાં 4 કેસ, ખેડા અને વડોદરામાં 2-2 કેસ નોંધાયા : હાલમાં 156 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 12 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 12 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.678 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10082 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.32.476 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.05,69,233 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 156 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 લોકો વેન્ટિલેટર પર અને 153 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.676  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 20 કેસમાં સુરતમાં 7 કેસ, વલસાડમાં 5 કેસ, અમદાવાદમાં 4 કેસ, ખેડા અને વડોદરામાં 2-2 કેસ નોંધાયા છે

(7:51 pm IST)