Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

૨૦ પીએસઆઇની બદલીઃ વડોદરાથી એમ. એસ. અંસારી મોરબી મુકાયા

જુનાગઢને બે પીએસઆઇ મળ્‍યાઃ મોરબીના પીએસઆઇને જામનગર બદલાવાયા

રાજકોટ તા. ૨૯: ચૂંટણી અંતર્ગત વધુ ૨૦ બીન હથીયારી પીએસઆઇની બદલીના ઓર્ડર નીકળ્‍યા છે. જેમાં અગાઉ રાજકોટ શહેર એસઓજી, પેરોલ ફરલો સ્‍ક્‍વોડમાં નોંધપાત્ર ફરજ બજાવી ચુકેલા અને અગાઉ બદલી પામી વડોદરા ગ્રામ્‍યમાં મુકાયેલા પીએસઆઇ મોહમ્‍મદઅસલમ શોૈકતઅલી (એમ. એસ.) અંસારીની બદલી મોરબી ખાતે થઇ છે.

જ્‍યરે મોરબીના પીએસઆઇ પી. જી. પનારાને જામનગર મુકવામાં આવ્‍યા છે. આ ઉપરાંત પોરબંદરના એન. એમ. ગઢવીને મોરબી, અમદાવાદના પી. કે. દવેરાને પોરબંદર, જી. ડી. બારોટને ભાવનગર, સુરતના વી. સી. જાડેજાને ભાવનગર, સુરતના વાય. પી. હડીયાને જુનાગઢ, ડી. એચ. વાળાને જુનાગઢ, કમાન્‍ડો તાલિમના આર. કે. કાબરીયાને પોરબંદર મુકવામાં આવ્‍યા છે.

(4:38 pm IST)