Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ભગવાનની મજાક ઉડાવતા આપના નેતાઓને મતદારો બરાબરનો પાઠ ભણાવશે: કોંગ્રેસના સેનાપતિ મેદાન છોડી ભાગી ગયા :સ્મૃતિ ઈરાની

માંડવીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર નિશાન તાક્યુ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કચ્છના માંડવીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર નિશાન તાક્યુ. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના સેનાપતિઓ જ મેદાન છોડી ભાગી ગયા છે. ભગવાનની મજાક ઉડાવતા આપના નેતાઓને મતદારો બરાબરનો પાઠ ભણાવશે તેવો સ્મૃતિ ઈરાનીઓ આશાવાદ વ્યવક્ત કર્યો હતો

 કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મહિલા સંમેલનને સંબોધતા ફ્રી શિક્ષણ, તેજસ્વી વિદ્યાર્થીઓને ફ્રી ઈ-સ્કુટર, 1 લાખ મહિલાઓને સરકારી નોકરીના વચન યાદ અપાવ્યા.

(7:53 pm IST)