Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગુજરાતના ગામોમાંથી જાતિવાદનું ઝેર સમાપ્ત કરવાનું કામ ભાજપ સરકારે કર્યુ:અમિતભાઇ શાહ

 નર્મદા યોજનાથી કચ્છ, બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું

ગુજરાતના ગામોમાંથી જાતિવાદનું ઝેર સમાપ્ત કરવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. ગુજરાતના ગામોમાં મજબુત સહકારી બનાવવાનું કામ ભાજપે કર્યુ છે. નર્મદા યોજનાથી કચ્છ, બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારો સુધી પાણી પહોંચાડવાનું કામ પણ ભાજપ સરકારે કર્યુ છે

  ખેડાના કપડવંજમાં ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે સભા સંબોધતા જણાવ્યુ કે, કોંગ્રેસના રાજમાં સમગ્ર સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ થઇ ગઇ હતી. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ડેરીઓ પણ બંધ થવાનું વાતાવરણ ઊભુ થયુ હતુ. નરેન્દ્ર ભાઈ  મોદી આ આખી પરિસ્થિતિમાં જબરદસ્ત પરિવર્તન લાવ્યા. આજે ગુજરાતના ગામે ગામને રોડથી જોડવાનું કામ ભાજપ સરકારે કર્યુ. ગુજરાતમાં શાંતિ સ્થાપવાનું કામ પણ ભાજપ સરકારે કર્યુ છે. .

(8:04 pm IST)