Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

કીર્તિદાન ગઢવી પર ડાયરામાં ચલણી નોટો સાથે સોના-ચાંદીના સિક્કાનો વરસાદ

પાલનપુર- ડીસા હાઇવે પર પૂ.જલારામ બાપાના મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પાલનપુર : પાલનપુર- ડીસા હાઇવે પર આવેલા પૂ. જલારામ બાપાના મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં હરખના ડાયરામાં ભક્તોએ કલાકાર કીર્તિદાન પર નોટોની સાથે સોના-ચાંદીના સિક્કા ઉછાળવામાં આવ્યા હતા.

પાલનપુર – ડીસા રોડ પર જલારામ બાપાનું મંદિર આવેલુ છે.જેથી જલારામ માનવ સેવા ટ્રસ્ટ અને સમસ્ત રઘુવંશી પરીવાર દ્વારા પૂ. જલારામ બાપાના મંદિર ખાતે તા. 28 થી 30 માર્ચ ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શોભાયાત્રા તેમજ રાત્રીએ હરખનો લોક ડાયરો યોજવામાં આવ્યો હતો.જેમાં લોક કલાકાર કિર્તિદાન ગઢવી પર નોટોની સાથે સોના- ચાંદીના સિક્કા ઉછાળવામાં આવ્યા હતા.લોક ડાયરામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી ડાયરાની રમઝટ બોલાવી હતી.

(11:58 pm IST)