Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

શિક્ષણાધિકારી કક્ષાના ૮ અધિકારીઓને બઢતીઃ ૪ નાયબ નિયામકની બદલી

રાજકોટના પ્રાથમીક શિક્ષણાધિકારી ડી.આર.સરડવા બઢતી સાથે પાઠય પુસ્તક મંડળમાં અને જૂનાગઢના : ઉપાધ્યાય શાળાઓના કમિશનર કચેરીમાં: મોરબીના સોલંકીની માધ્યમીક શિક્ષણ બોર્ડમાં નિમણૂક

રાજકોટ, તા., ૩૦: રાજય સરકારે જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાના ૮ અધિકારીઓને નાયબ નિયામક કક્ષાએ બઢતી આપી બદલી કરી છે. જેમાં રાજકોટના ડી.પી.ઓ. શ્રી ડી.આર.સરડવા, જુનાગઢના ડીઇઓ શ્રી આર.એસ.ઉપાધ્યાય, મોરબીના ડી.પી.ઓ. બી.એમ.સોલંકી, ભાવનગરના ડી.ઇ.ઓ. એન.જી. વ્યાસ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત નાયબ નિયામક કક્ષાના ૩ અધિકારીઓની બદલી કરી છે.

રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.સરડવાને ગુજરાત  રાજય શાળા પાઠય પુસ્તક મંડળના નાયબ નિયામક (વહીવટ) અને મોરબીના બી.એમ.સોલંકીને રાજય શિક્ષણ બોર્ડમા઼ સંયુકત નિયામક તરીકે નિમણૂંક અપાયેલ છે. જુનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયને કમિશનર શાળાઓની કચેરીમાં નાયબ નિયામક ભાવનગરના એન.જી.વ્યાસને રાજય શિક્ષણ બોર્ડના સચિવ બનાવાયા છે. સુરેન્દ્રનગરના ડીઇઓ એમ.એસ. બારડની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં નાયબ નિયામક (પ્લાન) તરીકે બઢતી સાથે બદલી થઇછે.

દાહોદ શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય એસ.વી.રાજશાખાને ઉચ્ચ  શિક્ષણ કમિશનર કચેરીમાં, સુરેન્દ્રનગરના ડીઇઓ એસ.એમ.બારડને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં નાયબ નિયામક તરીકે બદલવામાં આવ્યા છે. સુરતના ડીઇઓ એચ.એચ.રાજયગુરૃ શિક્ષણ નિયામક (પ્રાથમિક) કચેરીમાં નાયબ નિયામક તરીકે મુકાયા છે.

૩ નાયબ નિયામકોની બદલી

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના આર.આર.પટેલને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં (એન.એસ.એસ.) ત્યાંના મહેશ મહેતાને સમગ્ર શિક્ષા અભિયાનમાં સચિવ અને માધ્યમીક શિક્ષણ બોર્ડના બી.એન.રાજગોરને શૈક્ષણિક ટેકનોલોજી ભવનમાં બદલવામાં આવ્યા છે.

(12:14 pm IST)