Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

GVK EMRI ના ફરતા દવાખાનાના ડોક્ટરે ગાયના બચ્ચાંને મળમાર્ગની તકલીફ દૂર કરી નવજીવન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનીનાં દેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગામમાં ફરતું દવાખાનું માં એક ઇમર્જન્સી કેસ આવ્યો હતો જેમાં ગાયના બચ્ચાંને તકલીફ હોવાનું જાણવા મળતા ફરતા દવાખાનાની એમબ્યુલન્સ ત્યાં તાત્કાલિક સારવાર માટે પહોંચી, ત્યાં જઈને ડોક્ટરે જોતા ગાયનું બચ્ચાંને મળ માર્ગમાં તકલીફ જણાતા ત્યાં પહોંચેલા ડોક્ટર મેહુલ સુથાર અને પાયલોટ જીતેન્દ્ર વસાવા એ સફળ સર્જરી કરી હતી અને બચ્ચાનો જીવ બચાવ્યો હતો તે બદલ ખેડૂતે GVK EMRI સંસ્થા,એમના ડોક્ટર અને પાયલોટ નો આભાર વ્યક્ત કર્યો હતો

 

(10:27 pm IST)