Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કેન્દ્રના ગુજરાતના મંત્રીઓ ઓગષ્ટમાં સૌરાષ્ટ્ર- ગુજરાતના પ્રવાસે

પુરૂષોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, દર્શનાબેન જરદોસ, દેવુસિંહ ચૌહાણ સહિતના નેતાઓ આવશે

રાજકોટઃ ગુજરાતમાંથી આવતા કેન્દ્રીય મંત્રીઓ તા.૧૬ ઓગષ્ટ થી ૧૯ ઓગષ્ટ સુધી ગુજરાતના જિલ્લાઓનો પ્રવાસ કરશે. પુરૂસોત્તમભાઈ રૂપાલાને ઉત્તર ગુજરાતની જવાબદારી, મનસુખભાઈ માંડવીયાને સૌરાષ્ટ્રની, દર્શનાબેન જરદોસને દક્ષિણ ગુજરાત અને દેવુસિંહ ચૌહાણ મધ્ય ગુજરાતની જવાબદારી સાથે- સાથે ડો.મહેન્દ્ર મુંજપરા સૌરાષ્ટ્રના વિવિધ સામાજીક આગેવાનો અને પક્ષના નેતાઓને મળશે. આમ, ૨૦૨૨ની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી હોય તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.

(11:10 am IST)