Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સુરતના ઉમરા ગમે 10 લાખની દહેજની માંગણી કરી પતિએ ત્રાસ ગુજારતા પરિણીતાએ લગ્નના ચાર જ મહિનામાં જીવનલીલા સંકેલી લીધી

સુરત:ઉમરા ગામના જૂની વસાહત મહોલ્લામાં ચારિત્ર્ય અંગે શંકા રાખવા ઉપરાંત દહેજ પેટે રૂ. 10 લાખની માંગણી કરનાર પતિ અને કાકા સસરાના શારિરીક અને માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ લગ્નના માત્ર ચાર મહિનામાં આપઘાત કરી લેતા પોલીસે દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લા ચોપડા તાલુકાના ગનપુર ગામના ખેડૂત બીમલ આત્મારામ વાનખેડે (ઉ.વ. 42) ની પુત્રી ભારતી (ઉ.વ. 23) ના લગ્ન મે 2022 માં સુરતના ઉમરા ગામ જૂની વસાહત મહોલ્લામાં રહેતા સચીન વિજય પાનપાટીલ (ઉ.વ.27 મૂળ રહે. કહાટુળ ગામ, તા. શહાદા. જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર) સાથે થયા હતા. લગ્નના ગણતરીના દિવસોમાં પતિ સચિન અને વતનમાં રહેતા કાકા સસરા સુનીલ પાનપાટીલ દહેજ પેટે રૂ. 10 લાખની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. જેથી રક્ષાબંધન વખતે પિયરમાં રહેવા જનાર ભારતીએ પિતાને જાણ કરી હતી. પિતાએ દિવાળી સુધીમાં રૂ. 10 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી. પંરતુ તેમ છતા પણ સચીન રોજબરોજ દારૂના નશામાં ચારિત્ર્ય અંગે શંકા રાખી ભારતીને માર મારી ઘરમાં ગોંધીને નોકરી પર જતો હતો. રોજબરોજના ત્રાસથી કંટાળી ગત 18 સપ્ટેમ્બરે ભારતીએ વિડીયો કોલ કરી ગળે ફાંસો અને ઘરનો સરસામના વેરવિખેર બતાવી ફોન કટ કરી દીધો હતો. જેથી સુરતમાં રહેતા દાદી ભારતીને લેવા તેના ઘરે ગયા ત્યારે સચીને હવે ઝઘડો નહીં કરીશ એમ કહી માફી માંગી લીધી હતી. જો કે ત્યાર બાદ પણ સચીને ત્રાસ ગુજારવાનું ચાલુ રાખતા ગત રોજ ભારતીએ ઉમરા ગામ ખાતેના રહેણાંક ખાતે રસોડામાં લોખંડની એંગ્લ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. 

(5:37 pm IST)