Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

યાત્રાધામ અંબાજીમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો : માનવ મહેરામણ ઉમટ્યુ

બનાસકાંઠામાં હેલિપેડથી કાર્યક્રમ સ્થળ સુધી વડાપ્રધાન મોદીનો સાત થી આઠ કિલોમીટર લાંબો રોડ શો

વડાપ્રધાન મોદીનો અંબાજી મંદિર સાથેનો નાતો ઘણો જૂનો છે. પીએમ ખુદ ઉત્તર ગુજરાતથી આવે છે. માતાજીના શક્તિના ઉપાસક છે. શારદીય નવરાત્રીના નવે નવ દિવસ ઉપવાસ કરે છે. અંબાજી પ્રત્યે તેમની વિશેષ આસ્થા છે

વડાપ્રધાન મોદી બનાસકાંઠા પહોંચ્યા છે. હેલિપેડ ગ્રાઉન્ડથી કાર્યક્રમ સ્થળ સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો છે. અંદાજીત સાતથી 8 કિલોમીટર લાંબા આ રોડ શોમાં પીએમને આવકારવા લોકો ઉમટી પડ્યા છે. રોડની બંને સાઈડ લોકો ઉમટી પડ્યા છે અને પીએમના આગમનને લઈને ઘણા ઉત્સુક છે.

(7:20 pm IST)