Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વડાપ્રધાન મોદીને આવકારવા આતુર બન્યા અંબાજીવાસીઓ : લોકોમાં અનેરા હરખની હેલી

53 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરશે: અંબાજી મંદિર ખાતે સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એપ્રોચ રોડ અને પાથ-વે તૈયાર કરાશે,

વડાપ્રધાન મોદી અંબાજી પહોંચ્યા છે. અંબાજીમાં PM પ્રસાદ યોજનાની શરૂઆત કરાવશે, જેમાં 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરશે, અંબાજી મંદિર ખાતે સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એપ્રોચ રોડ અને પાથ-વે તૈયાર કરાશે, અંબાજી મંદિર ખાતે પાર્કિંગ, રેમ્પ અને લેન્ડ સ્કેપિંગ બનાવાશે, અંબાજી ગબ્બર ખાતે સ્ટોન પાથ-વે, CCTV, પોલીસ બૂથની સુવિધા ઉભી કરાશે. વડપ્રધાનના કાર્યક્રમને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(7:25 pm IST)