Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શિવાજી મહારાજના સ્મારક માટે પાટીલ પરિવારનું પાંચ લાખનું દાન

અમદાવાદ તા. ર૯ :.. હિંદવી સ્વરાજયના સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની સોનગઢનગરમાં પૂર્ણ કદની અશ્વરૂઢ પ્રતિમા (સ્મારક) બની રહેલ છે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલ તથા તેમના પરિવાર તરફથી રૂ. પ લાખ  આપવામાં આવેલ છે. તા. ૧ર ના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સોનગઢના હોદેદારોને સુપ્રત આપવામાં આવી હતી. સોનગઢનગરના હાર્દસમા વિસ્તાર શિવાજી ચોક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવનાર છે.

(2:52 pm IST)