Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

માંડલ દેત્રોજ વિરમગામ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મુખ્ય મહેમાન તરીકે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : માંડલ દેત્રોજ વિરમગામ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા માનપુરા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય ઠાકોર સેનાના સ્નેહ મિલન સમારંભમાં માંડલ દેત્રોજ રામપુરા વિરમગામ તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય ઠાકોર સેનાના જગદીશજી ઠાકોર ,અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દિવાનજી તેમજ અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય  અમરશીભાઈ ઠાકોર અમદાવાદ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ખોડાજી ઠાકોર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સમાજના યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ સ્નેહમિલન કાર્યક્રમનું  આયોજન માંડલ દેત્રોજ રામપુરા વિરમગામ તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ. માનપુરાના આગેવાન હીરાજી ઠાકોર, ભાવેશભાઈ ઠાકોર બળદેવજી ઠાકોર . માંડલના ક્ષત્રિય ઠાકોર સેનાના લખનજી ઠાકોર ,દેવાજી ઠાકોર , કૌશિકભાઈ સરપંચ, માંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિવાનજી ઠાકોર,નવઘણજી તેમજ દેત્રોજ -રામપુરા  ,માનપુરા ,કરસનપુરા, ઊકરડી, વિઠ્ઠલાપુર ઠાકોર સેનાના આગેવાનો, સરપંચો. તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, લાઈન ગ્રૂપના યુવાનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં હીરાજી ઠાકોર દ્વારા ઉપસ્થિત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો યુવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
 અલ્પેશભાઈ ઠાકોરે જણાવ્યુ હતુ કે, આવનારા દિવસોમાં પદયાત્રા, વિશાલ સ્નેહમિલન , આવા અનેક કાર્યક્રમો કરવામાં આવશે. સમાજના યુવાનો વ્યસનથી દૂર રહે, સમાજમાં એકતા જળવાઈ રહે સમાજનું સંગઠન મજબૂત બને તે માટેના પ્રયાસ કરવા, સમાજના યુવાનો શિક્ષિત બને. (તસવીર: જગદીશ રાવળ – ટ્રેન્ટ)

(6:49 pm IST)