Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

આણંદ કરમસદ રોડ નજીક વિવિધ રહેણાંક વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને હાલાકી

આણંદ : આણંદ પાસેના કરમસદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ વિવિધ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવાર-નવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા કેટલાક વીજ ઉપકરણોને પણ નુકસાન પહોંચી રહ્યું છે અને આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવા જતા તંત્ર દ્વારા રજૂઆત સાંભળવામાં પણ ન આવતી હોવાના આક્ષેપ કરાયા છે. કરમસદ-વિદ્યાનગર રોડ ઉપરના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી અવાર-નવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. અવાર-નવાર વીજ પુરવઠો ખોરવાયા બાદ વીજ લાઈનમાં વોલ્ટેજની વધ-ઘટને લઈ સ્થાનિકોના પાણીની મોટરો, સેન્સર સહિતના વીજ ઉપકરણોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. 

(6:06 pm IST)