Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

‘અરવિંદ કેજરીવાલની ગેરેંટી'ના નામે ખોટી પત્રિકાઓનું વિતરણ : ‘આપ'ની ચૂંટણી પંચને ફરિયાદ

રાજકોટ તા. ૩૦ : અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ જુદી-જુદી ગેરેંટી આપવામાં આવી છે. આ જાહેરાતોને ખોટી પત્રિકાઓ રૂપે વિતરણ કરવામાં આવતા ગાંધીનગર ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના સ્‍ટેટ સેક્રેટરી (લીગલ)ના એડવોકેટ પુનિત જુણેજાએ આ અંગે રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરીને તપાસની માંગ કરી છે. જેમાં ભાજપ સામે આક્ષેપો કરાયા છે.

(4:21 pm IST)