Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઢોલાર ગામમાં પિતાના મૃત્યુ બાદ પુત્રીઓએ સૌને છોડ આપી પર્યાવરણ પ્રેમી પિતાને શ્રદ્ધાંજલિ અર્પી

(ભરત શાહ દ્વારા) : રાજપીપળા : નાંદોદ તાલુકના ઢોલાર ગામના વાતની નિવૃત્ત એ.એસ.આઇ. સ્વ. તનુભાઈ મણીલાલ વસાવાનુ નિધન થતાં એમની દીકરીઓ શીતલ વસાવા અને સંધ્યા વસાવા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે એમના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજની ગંભીર સમસ્યા ગ્લોબલ વોર્મિંગમાં વૃક્ષ વાવવા જરૂરી હોય આજ રોજ રખાયેલા તેમની શ્રદ્ધાંજલીમાં આવનાર દરેકને એક-એક છોડની ભેટ આપી પર્યાવરણ પ્રેમી પિતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથે જ આ શ્રદ્ધાંજલિમાં ખાસ કોવિડના નિયમોનું પાલન પણ કરાયું હતું.

(10:27 pm IST)