Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરીયાનો લોકહિતમાં પ્રેરણાદાયી નિર્ણય : પોરબંદર જિલ્લાના ૯૦,૦૦૦ પરિવારને આપશે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીમા કવચ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના પ્રધાનમંત્રી તરીકે સફળતાપૂર્વક ૭ વર્ષ પૂર્ણની અને સાંસદ કાલે જન્‍મદિવસની ઉજવણી વિશિષ્‍ટ રીતે કરશે : ‘સેવા હી સંગઠનના મંત્રને ચરિતાર્થ કરાયું'

રાજકોટ તા. ૩૧ : આજના કોરોનાના કપરાકાળમાં દેશ ભરના લોકો ખુબ મુશ્‍કેલીમાંથી પસાર થઇ રહ્યા છે સાથે અકસ્‍માતના બનાવોનું પણ પ્રમાણ વધ્‍યું છે. આવા સમય જયારે કોઈ પરિવારના મોભી અથવા મુખ્‍ય વ્‍યક્‍તિનું અકસ્‍માતમાં નિધન થાય ત્‍યારે પરિવારના અન્‍યો સભ્‍યોનું આર્થિક રીતે ખુબ મુશ્‍કેલીમાં મુકાઈ જાય છે તેથી આવા કુટુંબોને મદદરૂપ બનવા અને પોરબંદર જિલ્લાના તમામ પરિવારોને વીમા યોજનાનું સુરક્ષા કવચ આપવાનું ભગીરથ અને ઉત્‍કૃષ્ટ કાર્ય બ્રહ્મસમાજના ભામાશા અને રાજયસભાના સાંસદᅠ રામભાઈ મોકરીયા હાથ ધર્યું છે. જે અન્‍ય લોકો માટે પણ પ્રેરણાદાયી છે તેમજ અનુકરણીય છે. ૩૦ મેં ના રોજ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળને સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે જેની ઉજવણીના ભાગસ્‍વરૂપે સમગ્ર પોરબંદર જિલ્લા ભાજપ પરિવાર તડામારી તૈયારીઓ આરંભી છે. ‘સેવાહી સંગઠન' અભિયાન આ ઉમદા કાર્યથી વેગવંતુ બન્‍યું છે.

સાંસદᅠ રામભાઈ મોકરીયા દ્વારા કોરોનાના સમય દરમ્‍યાન સૌરાષ્ટ્ર ભરની કોવીડ સેન્‍ટરો અને હોસ્‍પિટલોને લાખો રૂપિયાનું અનુદાન આપેલ છે. તેમજ આજ દિવસ સુધી અને હાલમાં પણ સૌરાષ્ટ્રની હોસ્‍પિટલો અને કોવીડ સેન્‍ટરોમાં કોવીડના દર્દીઓ માટે રોજ લીલા નારિયરનું પાણી આપવામાં આવી રહ્યું છે. સાથે જરૂરિયાત મુજબ સરકાર અને સંગઠનમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. ૧ જૂનના રોજ તેમના જન્‍મ દિવસ નિમિતે સમગ્ર પોરબંદર જિલ્લાના આશરે ૯૦,૦૦૦ પરિવારોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના અંતર્ગત વીમા કવચની ભેટ આપશે અને એક અનુકરણીય ઉજવણી જન્‍મદિવસની કરશે.. ઙ્કભગવાન રામની જેમ રામભાઈનું કાર્ય છે.ઙ્ઘ તેવું પોરબંદર જિલ્લાના લોકો હર્ષ લાગણી સાથે બોલી રહ્યા છે.

પોરબંદર જિલ્લાના લોકો માટે આ આયોજન કરવામાં આવ્‍યું છે. જિલ્લાના લોકો વધુમાં વધુ લાભ લે તેવો પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા અનુરોધ કરાયો છે.

(10:40 am IST)