Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મોટી રાહત :રાજ્યના 7 જિલ્લામાં એક દિવસમાં 10થી પણ ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા

સાત જિલ્લામાંથી માત્ર છોટા ઉદેપુર જિલ્લામાં 1 વ્યક્તિનું મોત થયું

અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. જ્યાં ગઈકાલે નવા કેસના સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં પાટણમાં 8, છોટા ઉદેપુરમાં 5, તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, દાહોદમાં 2, મોરબીમાં 2 અને ડાંગમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે આ સાત જિલ્લામાંથી માત્ર છોટા ઉદેપુર જિલ્લામાં 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાટણમાં 36, છોટા ઉદેપુરમાં 10, તાપીમાં 16, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 106, મોરબીમાં 14 અને ડાંગમાં 15 લોકો એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા હતા.

(1:02 pm IST)