Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જીપીએસસી પાસ ૧૬૨ ડોક્ટરોને કાયમી તરીકે આરોગ્ય વિભાગે નિમણૂક આપી: આરોગ્યક્ષેત્રે મહત્વનો નિર્ણય

રાજયના નાગરિકોને ઘરઆંગણે જ ઝડપભેર  સારવાર મળી રહે એ માટે જી.પી.એસ.સી. પાસ ૧૬૨ તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક આપવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે નીતિનભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી છે. સરકારે ૧૬૨ એમ.બી.બી.એસ. ડોક્ટરોને આરોગ્ય વિભાગના કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક આપવા માટે મંજૂરી આપીને ડોકટરોની અછત દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેની સાથોસાથ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કર્યો છે.

(5:28 pm IST)