Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજ્યના 10 જિલ્લામાં કોરોનાના નવા કેસની સંખ્યા 10 કરતા ઓછી : એકપણ મૃત્યુ નહીં

ગાંધીનગરમાં 9, અમદાવાદ 6, દાહોદ 6, છોટા ઉદેપુરમાં 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4, તાપી 4, મોરબીમાં 1, બોટાદ અને ડાંગમાં 0 કેસ નોંધાયા

અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. નવા કેસની સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં ગાંધીનગરમાં 9, અમદાવાદ 6, દાહોદ 6, છોટા ઉદેપુરમાં 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4, તાપી 4, મોરબીમાં 1, બોટાદ અને ડાંગમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે આ 10 જિલ્લામાં એક પણ મોત નથી થયું.

જેમાં ગાંધીનગરમાં 29, અમદાવાદ 21, દાહોદ 39, છોટા ઉદેપુરમાં 5, સુરેન્દ્રનગર 32, નર્મદા 43, તાપી 11, મોરબીમાં 23, બોટાદ 6 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(8:47 pm IST)