Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

PSI નશામાં ન હોવાનું સાબિત થતાં પૂર્વ કોર્પોરેટર સામે FIR

પૂર્વ કોર્પોરેટરે અડધી રાતે પોલીસને દોડાવી : પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ PSI દારુ પીને ડ્યૂટી કરે છે તેવો કંટ્રોલ રુમ ઉપર ફોન કરી દીધો હતો

સુરત,તા.૩૧ : નાઈટ કરફ્યૂનો ભંગ કરી બહાર નીકળેલા બે જણાને છોડી દેવા માટે પૂર્વ કોર્પોરેટરે કરેલા ફોનને પીએસઆઈએ ના ગણકારતા કોર્પોરેટરે પોલીસેને દોડતી કરી દીધી હતી.

પૂર્વ કોર્પોરેટર અસલમ સાઈકલવાલાએ પીએસઆઈ દારુ પીને ડ્યૂટી કરી રહ્યા છે તેવો કંટ્રોલ રુમ પર ફોન કરી દીધો હતો. અંગે મેસેજ મળતાં એસીપી, પીઆઈ સહિતના અધિકારી સલાબતપુરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, તાજેતરમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચંદ્રશેખર પનારાએ નાઈટ કરફ્યૂનો ભંગ કરવા બદલ માનદરવાજા નજીકથી મહેબુબ શેખ અને કમાલુદ્દીન શેખ નામના બે શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન ભાઠે વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અસલમ સાઈકલવાલાએ પીએસઆઈ પનારાને ફોન કરી બંનેને છોડી દેવા માટે વાત કરી હતી. જોકે, પીએસઆઈએ પૂર્વ કોર્પોરેટરને ખાસ ભાવના આપતા તેમણે કંટ્રોલ રુમમાં ફોન કરીને એવો આક્ષેપ કર્યો હતો કે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પનારા દારુ પીધેલી હાલતમાં ડ્યૂટી કરી રહ્યા છે.

ફોન બાદ ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને બ્રેથ એનાલાઈઝર દ્વારા પીએસઆઈનો ટેસ્ટ કરાયો હતો. જોકે, તેમાં તેમણે દારુના પીધો હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ, પોતાના પર ખોટો આરોપ મૂકી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારા પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ પીએસઆઈએ ગુનો નોંધીને કાર્યવાહી કરતાં તેમની ધરપકડ કરી હતી.

પીએસઆઈએ એવો દાવો પણ કર્યો હતો કે તેમણે મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે, જેમાં પણ તેમના બ્લડમાં આલ્કોહોલનું પ્રમાણ નીલ આવ્યું છે. મામલે અસલમ સાઈકલવાળાએ આક્ષેપ કર્યો હતો કે પીએસઆઈનો મેડિકલ ટેસ્ટ થયો નથી.

પોતે જાગૃત નાગરિક તરીકે કંટ્રોલરુમમાં ફોન કર્યો હતો તેવો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે તેમના વિરુદ્ધ ખોટા ગુના નોંધી ફરિયાદ કરવામાં આવી છે.

(9:16 pm IST)