Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજપીપળામાં દુકાનોના સમયમાં બે કલાકનો વધારો થતાં રાહત : સાંજે 4 ના બદલે 6 વાગ્યા સુધીની છૂટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કોરોનાના વધતા કેસો જોઈ તંત્ર દ્વારા વેપારીઓ સાથે વાટાઘાટો કરી દુકાનો સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો જેનું દરેક વેપારીઓએ યોગ્ય પાલન પણ કર્યું હતું પરંતુ હાલમાં રાજપીપળામાં કોરોનાના કેસોમાં એકદમ ઘટાડો થતા આજથી સાંજના ચાર વાગ્યાના બદલે 6 વાગ્યા સુધીની છૂટ અપાતા હવે વેપારીઓને બે કલાકનો વધુ સમય મળતા વેપારીઓ સહીત ગ્રાહકોને રાહત થઈ છે

(10:31 pm IST)