Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

નર્મદા જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : સોમવારે ૦૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં રાજેન્દ્રનગર ૦૧ તથા નાદોદ તાલુકામાં સિસોદ્રા ૦૧, વાઘોડિયા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં કેવડિયા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી , ડેડીયાપાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી, સાગબારા તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી જિલ્લામાં કુલ ૦૪ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૮ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૯૪ દર્દી દાખલ છે. આજે ૨૯ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૦૭૬ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૫૪ પર પહોચ્યો છે.આજે વધુ ૧૩૨૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:32 pm IST)