Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ડેડીયાપાડાના ઝાંખ ગામની બસ શરૂ કરવા વિદ્યાર્થીઓએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડીયાપાડા તાલુકાના ઝાંખ ગામથી અંકલેશ્વેર બસ શરૂ  કરવા સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદન આપવામાં આવ્યું હતું.
  આવેદનમાં જણાવ્યા મુજબ અંકલેશ્વર ડેપો માંથી ઝાંખ - અંકલેશ્વર બસ  સવારે ૫:૪૫ વાગે ઉપડતી અને બપોરે ૧૨:૪૫ વાગે ઉપડતી બસ શરૂ થાય તો વિદ્યાર્થીઓ અને મુસાફરોને પડતી તકલીફો દુર થાય અને એસ.ટી. વિભાગની આવક પણ સારી થાય એમ છે,ડેડીયાપાડા માંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે ડેડીયાપાડા થી નેત્રંગ વાલિયા અંકલેશ્વેર જવું પડે છે માટે આ બસ વાયા નેત્રંગ ને વાલીયા થઇ ને જાય તો આ રૂટના વિદ્યાર્થીઓ ને વધુ સવલત રહેશે માટે આ રૂટની બસ શરૂ કરાઇ તેવી માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(11:56 pm IST)