Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ભાવનગરમાં જીએસટીના બોગસ બિલિંગ કૌભાંડ : નાયબ રાજ્ય વેરા કમિશનરથી લઇને કારકુન સુધીના ૩૬ કર્મચરીઓની બદલી

અમદાવાદ જિલ્લા પંચાયતના ૭ કરોડના નકલી બિલ કૌભાંડમાં હિસાબી અધિકારી હાર્દિક પ્રજાપતીને ફરજ મોકૂફ કરવા અને તપાસના આદેશ આપતા નીતિનભાઇ પટેલ

અમદાવાદ,તા. ૩૧ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહત્વના નિર્ણય કરતા ભાવનગરમાં જી.એસ.ટીના બોગસ બીલીંગ કૌભાડમાં તપાસ બરોબાર થાય તથા રેકર્ડ સાથે ચેડા ના થાય અને તપાસને અસર ન થાય તે માટે નાયબ રાજ્યવેરા કમિશનરથી શરૂ કરીને સીનીયર કારકુન સુધીના ૩૬ અધિકારીઓ/કર્મચારીઓની ભાવનગરથી તાત્કાલિક બદલી કરવા આદેશ આપ્યો છે.આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અમદાવાદ જિલ્લા પંચાયતના રૂ. ૭ કરોડના ડુપ્લીકેટ બીલ કૌભાંડમાં જવાબદાર એવા હિસાબી અધિકારી વર્ગ-૧  હાર્દિક પ્રજાપતિને તાત્કાલિક અસરથી ફરજ મકૂફ કરવા તથા સમગ્ર પ્રકરણની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

(11:50 am IST)