Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં પુરુષનું ગંભીર ઇજાથી મોત

નડિયાદ: તાલુકાના ગુતાલ સીમમાંથી પસાર થતા આણંદથી અમદાવાદ જતા હાઇવે નં-૪૮ ઉપર ગુતાલ ઓવરબ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક તાપી જિલ્લાના સોનગઢથી પેપરની શીટ ભરી અમદાવાદ જતી હતી. તે સમયે ગુતાલ બ્રિજ ઉપર ટ્રકનુ ડીઝલ પુરુ થઇ જતા ટ્રક સાઇડમાં ઊભી રાખી હતી. તે સમયે એક મોટર સાયકલના ચાલકે પોતાની મોટર સાયકલ ઉભેલ ટ્રકની પાછળ જોરથી અથડાઇ હતી.જેથી મોટર સાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે રમેશભાઇ ભોજુભાઇ યાદવે નડિયાદ રૂરલ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર આવેલ કઠાણા ગામના કટ પાસે અકસ્માત સર્જાયો હતો.જેમા નરેશભાઇ અને કંડકટર તરીકે રીતેષભાઇ અમદાવાદ ડેપોમાંથી અમદાવાદ ઝાલોદ બસ લઇને રવાના થયા હતા.ગતરોજ રાત્રીના નવ વાગ્યાની અરસામાં તેઓ કઠાણા કટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ઇકો ગાડીના ચાલકે પોતાની ગાડી રોંગસાઇડ લાવી બસને આગળના ભાગે અડફેટ મારી હતી.જેથી બસને નુકસાન થયુ હતુ.વળી ગાડીના ચાલકને પણ ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે નરેશભાઇ કાંતિભાઇ ચૌધરીએ કઠલાલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

(4:36 pm IST)