Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

નર્મદા જિલ્લામાં ૦૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૧૪ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૬૩ પોહોચ્યો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં સોમવારે નવા ૦૫ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૫ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં નાંદોદ ના ધારીખેડા ૦૨ , સિસોદ્રા ૦૨ અને ગરુડેશ્વર ના નવાગામ ૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૫ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૫ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૬ દર્દીઓ દાખલ છે. આજે સજા થયેલ ૧૪ દર્દીઓ ને રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૫૮૫ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૬૩ પર પહોચ્યો છે.આજે વધુ ૩૭૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(7:30 pm IST)