Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજ્યના માર્ગ -મકાન વિભાગના એક અધિક્ષક ઈજનેર અને ત્રણ કાર્યપાલક ઈજેનરોની બદલી:

ગાંધીનગરના અધિક્ષક ઈજનેર એમ,આઈ,પટેલ અમદાવાદ મુકાયા : રાજકોટના કાર્યપાલક ઈજનેર આર,એન,માથુરની રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ ગાંધીનગરમાં બદલી : ગાંધીનગરના કાર્યપાલક ઈજનેર પી,જે,મિશ્રા અને વડોદરાના એસ,એમ રાવલની પણ ટ્રાન્સફર

અમદાવાદ : રાજ્યના માર્ગ મકાન વિભાગના એક અધિક્ષક ઈજનેર અને ત્રણ કાર્યપાલક ઈજેનરોની બદલીના હુકમો થયા છે, જેમાં ગાંધીનગરના અધિક્ષક ઈજનેર એમ,આઈ,પટેલ અમદાવાદ મુકાયા છે જયારે રાજકોટના કાર્યપાલક ઈજનેર આર,એન,માથુરની રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ ગાંધીનગરમાં બદલી કરાઈ છે અને ગાંધીનગરના કાર્યપાલક ઈજનેર પી,જે,મિશ્રા અને વડોદરાના એસ,એમ રાવલની પણ ટ્રાન્સફર કરાઈ છે

(10:25 pm IST)