Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કોરોનાએ ફરી ફૂફાડો માર્યો: નવા કેસમાં ડરામણો ઉછાળો :અમદાવાદમાં 278 કેસ સહીત રાજ્યમાં 573 પોઝીટીવ કેસ :વધુ 102 દર્દીઓ સાજા થયા :રાજકોટ અને અરવલીમાં એક-એક દર્દીનું મૃત્યુ :કુલ મૃત્યુઆંક 10.118 થયો :કુલ 8.18,589 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.32.392 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 278 કેસ,સુરતમાં 78 કેસ, વડોદરામાં 50 કેસ,રાજકોટમાં 28 કેસ, ગાંધીનગરમાં 19 કેસ,કચ્છમાં 16 કેસ, વલસાડમાં 15 કેસ, આણંદમાં 14 કેસ, ભાવનગરમાં 10 કેસ, મહીસાગરમાં 9 કેસ, ભરૂચ, ખેડા અને નવસારીમાં 8-8 કેસ, જામનગરમાં 7 કેસ, અમરેલી અને મહેસાણામાં 5-5 કેસ, પંચમહાલમાં 4 કેસ, મોરબી અને જૂનાગઢમાં 3-3 કેસ, સાબરકાંઠામાં 2 કેસ,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 2371 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 573 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 102 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 573 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 102 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.18.589 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી રાજકોટ અને અરવલ્લીમાં એક -એક દર્દીનું દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.118 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.55 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.32.392 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8, 92.47.220 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 2371 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 લોકો વેન્ટિલેટર પર અને 2360 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18.589  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી રાજકોટ અને અરવલ્લીમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.118 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 573 કેસમાં અમદાવાદમાં 278 કેસ,સુરતમાં 78 કેસ, વડોદરામાં 50 કેસ,રાજકોટમાં 28 કેસ, ગાંધીનગરમાં 19 કેસ,કચ્છમાં 16 કેસ, વલસાડમાં 15 કેસ, આણંદમાં 14 કેસ, ભાવનગરમાં 10 કેસ, મહીસાગરમાં 9 કેસ, ભરૂચ, ખેડા અને નવસારીમાં 8-8 કેસ, જામનગરમાં 7 કેસ, અમરેલી અને મહેસાણામાં 5-5 કેસ, પંચમહાલમાં 4 કેસ, મોરબી અને જૂનાગઢમાં 3-3 કેસ, સાબરકાંઠામાં 2 કેસ,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(9:40 am IST)