Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કતલખાનાની કેટલી સબસીડી બંધ કરી, ટેકસટાઇલના વેપાર ધંધાનું શું થયું ? જગદીશભાઇ ઠાકોર

(કેતનખત્રી) અમદાવાદઃ અમદાવાદ શહેરમાં યોજાયેલ કોન્ફરન્સમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશભાઇ ઠાકોરે જીએસટી ટેકસને ગબ્બરસિંગ ટેકસ ગણાવ્યો હતો.

તેઓએ જણાવેલ કે ટેકસટાઇલમાં જીએસટી ૫ ટકાથી વધારી ૧૨ ટકા કર્ર્યો જેના લીધે વેપારીઓને માઠી અસર પડી છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સીધા સવાલ કરતા જણાવેલ કે સરકાર કતલખાનાને કેટલી સબસીડી પુરી પાડે છે, કપાસને કેટલી સબસીડી આપવામાં આવી છે ? ટેકસટાઇલના વેપાર ધંધાનું શું થયું ?

આ કોન્ફરન્સમાં હાર્દિક પટેલ, મનહર પટેલ અને મનિષભાઇ દોશી વિ. હાજર રહયા હતા.

(3:19 pm IST)