Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વિરમગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યુ

વિરમગામ નિવાસી અ.નિ જયંતિલાલ કાન્તિલાલ ઠક્કર, અ.નિ કમળાબેન જ્યંતિલાલ ઠક્કરના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે પ.પુ.ધ.ધુ આચાર્ય ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી વિરમગામ નિવાસી અ.નિ જયંતિલાલ કાન્તિલાલ ઠક્કર,અ.નિ કમળાબેન જ્યંતિલાલ ઠક્કરના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યુ છે. લોહાણા મહાજન વાડી વિરમગામ ખાતે તારીખઃ-૨૭/૧૨/૨૦૨૧ના કથા પ્રારંભ કરવામાં આવ્યો અને તારીખઃ -૦૨/૦૧/૨૦૨૨ના રોજ કથા પુર્ણાહુતિ કરવામાં આવશે. સ્વામિ અનુપમસ્વરૂપદાસજી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું રસપાન કરાવી રહ્યા છે. વિરમગામ ખાતે સવાર – સાંજ મોટી સંખ્યામાં ભક્તો શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું શ્રવણ કરી રહ્યા છે. શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણના આયોજક તરીકે બાબુભાઇ ત્રિકમભાઇ ઠક્કર અને અશોકભાઇ પ્રભુભાઇ ઠક્કર દ્વારા સેવા આપવામાં આવી રહી છે. વિરમગામના પત્રકારો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ દરમ્યાન કથાના વક્તા સ્વામિ અનુપમસ્વરૂપદાસજી સન્માન કરવામાં આવ્યુ અને આશિર્વાદ મેળવવામાં આવ્યા હતા.

(7:49 pm IST)