Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કોરોનાએ કાળોકેર વર્તાવ્યો :નવા કેસમાં ડરામણો ઉછાળો :અમદાવાદમાં 317 કેસ સહીત રાજ્યમાં 654 પોઝીટીવ કેસ :વધુ 63 દર્દીઓ સાજા થયા :આજે એકપણ મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 10.118 થયો :કુલ 8.18,652 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.88.125 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 317 કેસ,સુરતમાં 116 કેસ, વડોદરામાં 41 કેસ,રાજકોટમાં 32 કેસ, આણંદમાં 21 કેસ,ગાંધીનગરમાં 18 કેસ,જામનગરમાં 17 કેસ,ખેડામાં 13 કેસ,કચ્છમાં 12 કેસ, વલસાડમાં 11 કેસ, નવસારીમાં 10 કેસ, ભરૂચમાં 9 કેસ, ભાવનગરમાં 6 કેસ, મહીસાગર અને મહેસાણામાં 5-5 કેસ,અમરેલી, મોરબી અને તાપીમાં 4-4 કેસ,પોરબંદર અને સાબરકાંઠામાં 3-3 કેસ,બનાસકાંઠા ,જૂનાગઢ અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 2962 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 654 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 63 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 654 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 63 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.18.652 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.118 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.48 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.88.125 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8,94.35.345 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 2962 એક્ટિવ કેસ છે, જેમાંથી 17 લોકો વેન્ટિલેટર પર અને 2945 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18.652  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથીએકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.118 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 654 કેસમાં અમદાવાદમાં 317 કેસ,સુરતમાં 116 કેસ, વડોદરામાં 41 કેસ,રાજકોટમાં 32 કેસ, આણંદમાં 21 કેસ,ગાંધીનગરમાં 18 કેસ,જામનગરમાં 17 કેસ,  ખેડામાં 13 કેસ,કચ્છમાં 12 કેસ, વલસાડમાં 11 કેસ, નવસારીમાં 10 કેસ, ભરૂચમાં 9 કેસ, ભાવનગરમાં 6 કેસ, મહીસાગર અને મહેસાણામાં 5-5 કેસ,અમરેલી, મોરબી અને તાપીમાં 4-4 કેસ,પોરબંદર અને સાબરકાંઠામાં 3-3 કેસ,બનાસકાંઠા , જૂનાગઢ અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો છે

(8:18 pm IST)