ગુજરાત
News of Monday, 1st February 2021

સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર સનાથલ ક્રોસ રોડ ઉપર અજાણ્‍યા વાહન હડફેટે દિપડાનું મોત થતા અરેરાટીઃ શહેરી વિસ્‍તારોમાં વન્‍ય પ્રાણીઓના આંટાફેરા

સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર સનાથલ ક્રોસ રોડ ઉપર અજાણ્‍યા વાહન હડફેટે દિપડાનું મોત થતા અરેરાટીઃ શહેરી વિસ્‍તારોમાં વન્‍ય પ્રાણીઓના આંટાફેરા

અમદાવાદ: સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે રસ્તા પર દીપડો ઢળી પડ્યો હોવાનું જોતાં જ રાહદારીઓ અને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.

સનાથલ બ્રિજ પાસે કોઈ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હોવાનું આસપાસના લોકોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, હજી 15 દિવસ પહેલાં વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ વસ્ત્રાલ ખાતે પણ દીપડો દેખાયા હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જોકે તે ઝરખ હોવાનો બાદમા ખુલાસો થયો હતો. આ અગાઉ વર્ષ 2018માં સચિવાલયના પરિસરમાં પણ દીપડો જોવા મળ્યો હતો.

(5:10 pm IST)