News of Wednesday, 1st February 2023
મહિપતસિંહ કર્મનિષ્ઠ નિડર આગેવાન હતાઃ ભૂપેન્દ્રસિંહ
પૂર્વ ધારાસભ્યને શ્રદ્ધાંજલી અર્પતા પૂર્વ મંત્રી
રાજકોટઃ રાજયના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા(રીબડા)ના અવસાન અંગે દુઃખની લાગણી વ્યકત કરી જણાવેલ કે ૧૯૯૦ ના અરસામાં તેમની સાથે વિધાનસભામાં કાર્ય કરવાનો મોકો મળેલ.તેઓ કર્મનિષ્ઠ તેમજ નિડર રાજકીય અને સામાજિક અગ્રણી હતા. તેમની ચિરવિદાય દુઃખદાયી છે.
(11:31 am IST)