ગુજરાત
News of Monday, 1st March 2021

ડાયાલીસીસ કરાવનાર દર્દીને કોરોના રસી અપાઇ

અમદાવાદ કિડની હોસ્પિટલ ખાતે

અમદાવાદ : આજથી દેશભરમાં કોરોનાના રસીકરણ બીજી તબકકાનો પ્રારંભ થયો છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉમરના તથા ૪પ થી ૬૦ વચ્ચેના ગંભીર બીમારનીના દર્દીઓને વેકસીન મુકવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસ સ્થીત કિડની રીસર્ચ સેન્ટરમાં પણ ડાયાલીસીસના દર્દીઓને કોરોનાની રસી મુકવામાં આવી છે.

આઇ.કે.ડી.આર.સી. મુજબ કીડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા ડાયાલીસીસમાંથી પસાર થઇ રહેલ દર્દીઓને કોવીડ વેકસીન હોસ્પિટલના રૂમ નંબર પ૦૭માં રસી મુકવામાં આવી હતી. જે દર્દીઓની ઉમર ૪પ વર્ષથી વધુની છે તેમણે ઉમરના દસ્તાવેજ સાથે રસીકરણની શરૂઆત કરવામાં આવી છે.

(2:54 pm IST)