વડોદરાના નિઝામપુરામાં પત્નીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મજબુર કરનાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
વડોદરા: શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા તૌસિફ રાણા નામના યુવક સાથે હિન્દુ યુવતીને પરિચય થયા બાદ તૌસિફે લગ્ન માટે વારંવાર આગ્રહ કરતા યુવતી પરિવારજનોની મરજી વિરુદ્ધ લગ્નન કર્યા હતા. યુવતીએ કોલેજ પણ છોડી દીધી હતી.
શરૂઆતમાં તૌસિફ યુવતીને તેના ભાઈને ત્યાં રહેવા લઈ ગયો હતો અને ત્યારબાદ તેઓ નિઝામપુરા માં રહેવા આવ્યા હતા. લગ્નના ચાર મહિના બાદ જ યુવતી ઉપર નાની-નાની બાબતે તકરાર કરી ત્રાસ ગુજારવાનું શરૂ કરાયું હતું.
તૌસિફે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે યુવતી પર દબાણ કરી ગાળો ભાંડી મારઝૂડ કરતાં યુવતીએ ધર્મ પરિવર્તનનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેનાથી થતા આખરે પિતાને ત્યાં પરત ફરી હતી.
યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે યુવક સામે શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવા બદલ તેમજ પરિવારજનોને મારી નાખવાની ધમકી આપવાની જુદી-જુદી કલમો સાથે ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003 ની કલમ 4 નો ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી કરી છે.