ગુજરાત
News of Friday, 2nd April 2021

કોરોનાનું સંક્રમણ વધતા આણંદનું ચાંગા ગામ સ્વૈચ્છિક બંધ રહેશે

સવારે 6થી 10 અને સાંજે 5થી 8 વાગ્યા સુધી જરૂરીયાતની ચીજ વસ્તુઓ માટે બજારો ખુલ્લી રખાશે

આણંદ : કોરોનાનું સંક્રમણ વધતા આણંદનું ચાંગા ગામ સ્વૈચ્છિક બંધ રહેશે. આણંદના પેટલાદ ગામે ગ્રામજનોએ ચાંગા ગામને સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આવતીકાલથી 13 એપ્રિલ સુધી બંધ ચાંગા ગામ સ્વયંભૂ બંધ રહેશે. સવારે 6થી 10 અને સાંજે 5થી 8 વાગ્યા સુધી જરૂરીયાતની ચીજ વસ્તુઓ માટે બજારો ખુલ્લી રાખવામાં આવશે. આણંદ ગ્રામ્યમાં કોરોનાના 16 જેટલા એક્ટિવ કેસ થતા ગ્રામજનોએ ચાંગા ગામને સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય લીધો છે.

(10:08 am IST)