News of Friday, 2nd April 2021
ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતી રહેશે
રાજકોટ,તા. ૨: ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના યોજાનાર (6th) પદવીદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેશે.
આવતીકાલ શનિવાર તા. ૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી જોડાઇને સફળ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે.
(4:12 pm IST)