News of Tuesday, 2nd August 2022
શામળાજી મંદિર પરિસરમાં લાઈટ અને સાઉન્ડ શો આકર્ષણ વધારશે.: સરકારે 5 કરોડ ફાળવ્યા
શામળાજી મંદિરમાં હવે જન્માષ્ટને લઈ તૈયારીઓ શરુ
અમદાવાદ : શામળાજી મંદિરમાં હવે જન્માષ્ટને લઈ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ભગવાન શામળીયાના મંદિરે આ દિવસે ગુજરાત અને રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. અહીં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ તૈયારીઓ પહેલા જ શામળાજી મંદિરમાં હવે વધુ એક સુંદરતા ઉમેરાશે. મંદિર પરિસરમાં લાઈટ અને સાઉન્ડ શોનુ આયોજન કરવાની વ્યવસ્થા ઉભી કરાશે. રાજ્ય સરકારે આ માટે પાંચ કરોડ રુપિયા ફાળવી આપ્યા છે. શામળાજી મંદિર માટે આ સુંદર ભેટ માટે ગુજરાત સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે
(12:04 am IST)