ગુજરાત
News of Tuesday, 2nd August 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર અમદાવાદના આંગણે શ્રીમદ સત્સંગી જીવન કથા : 29 જુલાઈથી શરૂ થયેલી કથાનો 4 ઓગસ્ટ સુધી લહાવો : ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને પાવનકારી કથા સાંભળવાની તક

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર અમદાવાદના આંગણે 29 જુલાઈથી શરૂ થયેલી કથાનો 4 ઓગસ્ટ સુધી શ્રીમદ સત્સંગી જીવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને પાવનકારી કથા સાંભળવાની તક મળશે.જેનો સમય રાત્રે 8 -00 વાગ્યાથી 9 -30 સુધીનો રાખવામાં આવ્યો છે.

આ પ્રસંગે પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના દર્શન તથા આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે.

ઉપરાંત નવયુવાન સંતો શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા દ્વારા સત્સંગનો લાભ આપશે.તેવું કોઠારી મુકિતસ્વરૂપદાસજીની યાદી જણાવે છે.

(12:10 pm IST)