ગુજરાત
News of Tuesday, 2nd August 2022

પ્રેસ ઇર્ન્‍ફોમેશન બ્‍યુરોના મહાનિર્દેષક તરીકે ચાર્જ સંભાળતા સત્‍યેન્‍દ્ર પ્રકાશ

રાજકોટ, તા., ૨: શ્રી સત્‍યેન્‍દ્ર પ્રકાશે ગઇકાલે  પ્રેસ ઇન્‍ફોર્મેશન બ્‍યુરો (PIB) ના મુખ્‍ય મહાનિદેશક તરીકેનો ચાર્જ સંભાળ્‍યો છે. શ્રી પ્રકાશ ભારતીય માહિતી સેવા, ૧૯૮૮ની બેચના અધિકારી છે. આ પહેલા તેઓ સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ કોમ્‍યુનિકેશનના પ્રિન્‍સિપાલ ડીજીના હોદ્દા પર હતા.

શ્રી સત્‍યેન્‍દ્ર પ્રકાશને કેન્‍દ્ર સરકારમાં જાહેર સંદેશાવ્‍યવહાર, મીડિયા મેનેજમેન્‍ટ, વહીવટ, નીતિ દ્યડતર અને કાર્યક્રમ અમલીકરણ ક્ષેત્રે બહોળો અનુભવ છે. તેમણે યુનેસ્‍કો, યુનિસેફ, યુએનડીપી વગેરે જેવા વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારત સરકારનું  પ્રતિનિધિત્‍વ કર્યું છે. સરકારી જાહેરાતો, ઈન્‍ટરનેટ અને ડિજિટલ મીડિયા નીતિ, એફએમ રેડિયો નીતિ, ડિજિટલ સિનેમા નીતિ વગેરેના વિષયવસ્‍તુ નિયમન માટે ડ્રાફ્‌ટ માર્ગદર્શિકા દ્યડવામાં તેમણે મહત્‍વની ભૂમિકા ભજવી છે. સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ કોમ્‍યુનિકેશન માટે વોકલ ફોર લોકલની થીમ પર ૨૦૨૧ માં પ્રજાસત્તાક દિવસ પર માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રથમ વખતના ટેબ્‍લોની રજૂઆતમાં તેમની ભૂમિકા માટે તેમને ઓળખવામાં આવ્‍યા હતા.

શ્રી પ્રકાશ ભારત સરકારના દ્યણા મોટા જાહેર અભિયાનો સાથે સંકળાયેલા છે, જેવા કે આઉટરીય પ્રવૃત્તિઓની રચના અને અમલીકરણ. તેમને મહત્‍વપૂર્ણ IEC ઝુંબેશની કલ્‍પના કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમને તાજેતરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ૨૦૨૧-૨૨માં મતદાર જાગૃતિ અને શિક્ષણ દ્વારા ચૂંટણીમાં ભાગીદારી વધારવા માટે રાષ્ટ્રીય પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યો છે.

ચાર્જ સંભાળ્‍યા બાદ, પીઆઈબીના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શ્રી સત્‍યેન્‍દ્ર પ્રકાશનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(1:23 pm IST)