ગુજરાત
News of Tuesday, 2nd August 2022

નડિયાદના મહુધા રોડ પર મંગળપુરા પાટિયા નજીક ટ્રકે ઇકો કારને ટક્કર મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ના મૃત્યુ

નડિયાદ : નડિયાદ મહુધા રોડ પર મંગળપુરા પાટિયા નજીક ઈકો ગાડીને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે પીજ ચોકડી હોટલ સામે એક્ટિવાને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે ના મોત નિપજ્યાં હતા. જ્યારે એકને ગંભીર ઇજા થઈ હતી.

નડિયાદ મનજીપુરા રોડ મોહિની એપાર્ટમેન્ટમાં રહેતા પ્રેમકીશન ધરમદાસ મોતીયાણી  તા. ૩૧/૭/૨૨ની સાંજે ઈકો ગાડી હંકારી નડિયાદ મહુધા રોડ પરથી પસાર થતા હતા. મંગળપુરા પાટિયા નજીક સામેથી પૂર ઝડપે આવેલ ટ્રક ઇકો ગાડી સાથે અથડાઈ હતી. જેમાં ઇજાગ્રસ્ત પ્રેમકીશનભાઈને  ગાડીમાંથી બહાર કાઢી ?૧૦૮ મારફત સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

જ્યારે અકસ્માતનો બીજો બનાવમાં નડિયાદ મહાલક્ષ્મી સોસાયટી વૈશાલી રોડ પર રહેતા મયુરકુમાર રાજુભાઈ જોશી અને તેના મિત્ર જયભાઈ દિનેશભાઈ ભીમાણી ગઈકાલે રવિવારે સાંજે એકટીવા પર ડભાણ હોટલમાં જમવા જઈ રહ્યા હતા. ત્યારે પીજ રોડ એક હોટલ સામે રોડ પર સામેથી પુરઝડપે આવેલા ડમ્પરે એકટીવાને ટક્કર મારી હતી. બંને લોકોએ ૧૦૮ ને બોલાવી એમ્બ્યુલન્સ મારફત બંનેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયેલા. જ્યા જય કુમારને ગંભીર હાલત હોઇ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે મયુરને વધુ સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો. બંને બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

(5:55 pm IST)