ગુજરાત
News of Tuesday, 2nd August 2022

નર્મદા જિલ્લાના તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્નનોનો ઉકેલ ન આવતા આજથી અચોક્કસ મુદતની હડતાલ પર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યનાં તલાટી- મંત્રી ઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉતારતાં રાજપીપળા ખાતેની તાલુકા પંચાયત કચેરી બહાર દેખાવ કર્યો હતા
નર્મદા જિલ્લાના તલાટી કમ મંત્રીઓ આજથી પોતાની પડતર માંગણીઓ બાબતે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે જેના કારણે તમામ કામગીરી ખોરવાઈ ગઈ છે જોકે તેઓ આગમી તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી માં રાષ્ટ્રધ્વજ ફરકાવશે આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે તેમનાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેમની આ હડતાળ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે.

(10:16 pm IST)