કોંગ્રેસ નેતા અહમદ પટેલ કોરોના સંક્રમિત
હું હાલ મારી સાથે સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરૃં છું કે તે પોતાને આઇસોલેટ કરી લે : પટેલ તાજેતરમાં જ કૃષિ વિધેયકોનો વિરોધ કરતા જોવા મળ્યા હતા
નવી દિલ્હી,તા. ૨:વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહમદ પટેલ કોરોના વાયરસ સંક્રમિત થઈ ગયા છે. તેમણે ગુરુવારે ટ્વીટ કરીને પોતે આ વાતની માહિતી આપી છે. સાથે જ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન સંપર્કમાં આવેલા લોકોને પોતાને આઇસોલેટ કરી લેવાની અપીલ પણ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, 'રિપોર્ટમાં હું કોવિડ-૧૯ પોઝિટીવ આવ્યો છે. હું હાલ મારી સાથે સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તે પોતાને આઇસોલેટ કરી લે.'પટેલ તાજેતરમાં જ કૃષિ વિધેયકોનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.
ગયા મંગળવારે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂના કોરોના સંક્રમિત થવાના સમાચાર આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે જણાવ્યું કે નાયડૂમાં સંક્રમણના લક્ષણો નથી અને તેમની તબિયત હાલ સારી છે. ઉપરાષ્ટ્રપતિએ મંગળવારે સવારે નિયમિત પરીક્ષણ કરાવ્યું હતું જેમાં તેમના સંક્રમિત થવાની પુષ્ઠિ થઈ હતી. ઉપરાષ્ટ્રપતિની પત્ની ઉષા નાયડૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.