ગુજરાત
News of Friday, 2nd October 2020

નાંદોદ તાલુકામાં ૧૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૩ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૧૩ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૩ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં રાજેન્દ્રનગર સોસા. ૦૨, સોનિવાડ ૦૧ નાંદોદ તાલુકાના લાછરસ ૦૩ વાવડી ૦૧ કારાઠા ૦૧ વડિયા ૦૧ , રસેલા ૦૨, ગરુડેશ્વરના કે.કોલોની ૦૨ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની સંખ્યા-૦૩ જ્યારે ૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૫ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ છે આજે ૦૧ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૯૧૭ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૯૭૩ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:24 pm IST)