ગુજરાત
News of Friday, 2nd October 2020

ટ્રેનમાં આવતા મુસાફરોમાં પણ કોરોના ઘટ્યો : અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશનમાં ૧૧૩૪ મુસાફરોનું ટેસ્‍ટીંગ માત્ર ૯ મુસાફરો પોઝીટીવ : ૬ને હોમ કવોન્‍ટાઇન : ૩ ને કોવીડ સેન્‍ટરમાં

અમદાવાદ: આજે ટ્રેનમાં આવતા મુસફારોમાં પણ કોરોના ઘટ્યો છે. અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશનમાં આજે ૧૧૩૪ મુસાફરોનું ટેસ્‍ટીંગ કરાતા માત્ર ૯ પોઝીટીવ આવેલ છે. અને ૬ ને હોમ કવોરન્‍ટાઇન કરાયા છે. જયારે ૩ ને કોવીડ સેન્‍ટરમાં ખસેડાયેલ છે.

આ અંગેની વધુ વિગતો જોઇઅે તો અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો.

બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. Railway Station 

આજે એટલે શુક્રવારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ-દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 461 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 6 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 318 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 2 પોઝિટિવ કેસો મળ્યા હતા. જયારે મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 355 પ્રવાસીઓની ચકાસણીમાં 1 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1134 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 9 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

(12:00 am IST)