ગુજરાત
News of Sunday, 2nd October 2022

તાલાળામાં પાટીદાર સમાજના વ્રજલાલ હંસરાજ આમ આદમી પાર્ટીમાં જોડાયા

વ્રજલાલ હંસરાજે ભાડજા સમાજના આગેવાનો સાથે જગમાલભાઈ વાળાના હસ્તે આપનો ખેસ પહેર્યો

અમદાવાદ : રાજયમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે વેરાવળના તાલાળામાં પાટીદાર સમાજના વ્રજલાલ હંસરાજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વ્રજલાલ હંસરાજે ભાડજા સમાજના આગેવાનો સાથે જગમાલભાઈ વાળાના હસ્તે આપનો ખેસ પહેર્યો હતો. આ સાથે જ આગામી દિવસોમાં હજારો લોકોને આપમાં જોડવાનો સંકલ્પ પણ કર્યો. મહત્વનું છે કે તલાલા વિધાનસભામાં પાટીદારો નિર્ણાયક મતદારો છે, જેથી અન્ય પાર્ટીઓમાં ખળભળાટ મચી ગયો છે. 

(7:08 pm IST)