ધનતેરસે ભાજપાના તમામ જિલ્લા-મહાનગર ખાતે મેડિકલ સેલ દ્વારા બપોરે સામુહિક ધન્વંતરી પૂજન
પ્રદેશના પદાધિકારીઓ,ભાજપા મેડીકલ સેલના પદાધિકારીઓ અને ડોક્ટરોની ઉપસ્થિતિમાં ધન્વંતરી પૂજન યોજાશે.
અમદાવાદ ;ધનતેરસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભાજપના જીલ્લા- મહાનગરના કાર્યાલયો પર ભાજપા મેડિકલ સેલ દ્વારા સામૂહિક ધનવંતરી પૂજન રાખેલ છે.કાલે બપોરે અઢી વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા દરમિયાન ભારતીય જનતા પાર્ટી જીલ્લા- મહાનગર કાર્યાલય ખાતે સામૂહિક ધનવંતરી પૂજન પ્રદેશના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભાજપા મેડીકલ સેલના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અને ડોક્ટરોની ઉપસ્થિતિમાં યોજાશે.
ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલ સુરત ભાજપ કાર્યાલય ખાતે, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી તેમજ કર્ણાવતીના પ્રભારી પ્રદિપસિંહ વાઘેલા, ભાજપા મેડીકલ સેલના સંયોજક ડો ધર્મેન્દ્ર ગજ્જર કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે અને મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ વડોદરા ભાજપ કાર્યાલય ખાતે, તથા મહામંત્રી રજનીભાઈ પટેલ ગાંધીનગર મહાનગર ભાજપ કાર્યાલય ખાતે હાજર રહીને પૂજન કરશે. જયારે મહામંત્રી વિનોદ ચાવડા કચ્છ જિલ્લાના ભાજપા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી સામૂહિક ધનવંતરી પૂજન કરશે.