રાજ્યમાં કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 28 દર્દીઓ સ્વસ્થ થયા :આજે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.090 : કુલ 8.16.311 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 94.555 લોકોનું રસીકરણ કરાયું
વડોદરા કોર્પોરેશન 6, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, ગાંધીનગર, જુનાગઢ અને નવસારીમાં 2-2 કેસ અને કચ્છ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા : હાલમાં 190 એક્ટીવ કેસ : શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 28 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે રાજ્યમાં આજે કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 28 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.311 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયું છે , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા થયો છે રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3,24,655 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.10.25.631 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે રાજ્યમાં હાલ 196 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને 190 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.311 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 20 કેસમાં વડોદરા કોર્પોરેશન 6, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, ગાંધીનગર, જુનાગઢ અને નવસારીમાં 2-2 કેસ અને કચ્છ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે |